11 hours 5 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. 'પ્રકાશનો પડછાયો ' એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા' માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક 'જનસત્તા' તથા લખનૌના હિંદી દૈનિક 'જાગરણ' માં ધારાવાહિક થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, તેલુગુ, તમિલ, બાંગલા, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. તેમ જ આ પુસ્તક પરથી ગુજરાતી, હિંદી મરાઠી તથા અંગ્રેજીમાં નાટકો ભજવાયા છે. આ કથાનક પર આધારિત અંગ્રેજી તથા હિંદી ફિલ્મ 'ગાંધી માય ફાધર' બની છે.